વિદુર નીતિ 


૧ થી ૧૦ સુવાક્યો


ક્રમ

સુવાક્ય

જેનું ચારિત્ર્ય સારું છે, તેના માટે આખી દુનિયા એક પરિવાર છે.

છળકપટ કરનાર, કદી રાજા બની શકતો નથી.

જે સૌનું કલ્યાણ ઈચ્છે છે, તે સૌથી મહાન છે.

જ્યાં જ્યાં જુગાર રમાય છે, ત્યાં ત્યાં લક્ષ્મીનો અભાવ રહે છે.

સ્વામીએ સેવક ઉપર અને સ્વામી ઉપર સેવકે કદી અવિશ્વાસ ન કરવો.

વિનય અને વિવેક, અપયશનો તત્કાલ વિનાશ કરે છે.

સુખ માટે ક્યારેય, ધર્મનો ત્યાગ કરશો નહિ.

બુદ્ધિમાન અહીં ગરીબ રહી જાય છે અને મૂર્ખ ધનવાન બની જાય છે.

ક્ષમા કદી પણ ક્યારેય કોઈનું અકલ્યાણ કરતી નથી.

૧૦

અગ્નિ, સ્ત્રી, દેવી, દેવતા, ગુરુ અને મા-બાપનું કદી અપમાન કરશો નહિ.



શું તમે સંપૂર્ણ વિદુર નીતિ વાંચવા માગો છો ?

Click

દરરોજ વિદુરનીતિ ના સુવાક્યો તમારા Whatsapp Status માં મેળવવા 

નીચે આપેલ link પરથી મેસેજ કરો
તમારું પૂરું નામ તથા સ્થળ લખીને મોકલો